‘અમેરિકન નાગરિકો તાત્કાલિક પાકિસ્તાનના લાહોર અને પંજાબ છોડી દે’, ટ્રમ્પ પ્રશાસને એડવાઇઝરી જાહેર કરી

American Advisory: ભારતે 22 એપ્રિલના રોજ પહેલગામમાં 6-7મેની રાત્રે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો હોવા છતાં તેણે હજુ સુધી ઓપરેશન સિંદૂરનો અંત જાહેર કર્યો નથી. આના કારણે પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. પાકિસ્તાન Loc પર સતત ગોળીબાર કરી રહ્યું છે. ગુરુવારે મોટાભાગના લોકો સરહદી વિસ્તારો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા હતા.

ભારત-પાકિસ્તાનના આ તણાવ ભરેલી સ્થિતી દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ભારતના હુમલા પર મોટું નિવેદન આપતા કહ્યું – ભારતે બદલો આપ્યો. તેમજ અમેરિકાએ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં દરેક નાગરિકોને પાકિસ્તાનના લાહોર અને પંજાબ છોડવાનું કહેવામાં આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે તેણે કાં તો લાહોર છોડી દેવું જોઈએ અથવા સલામત સ્થળે ચાલ્યા જવું જોઈએ.