AMCએ બાકરોલ પાંજરાપોળના પશુઓના મોનિટરિંગ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો

દિપેન પઢીયાર, અમદાવાદ: આધુનિક સમયમાં AI ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા પાંજરાપોળમાં રાખવામાં આવતા પશુઓનાં મોનિટરિંગ માટે પણ AI ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. અમુલ અને બનાસ ડેરી પશુ આરોગ્ય માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ત્યારે હવે AMCએ પાંજરાપોળમાં રાખેલા પશુઓ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
બાંકરોલ ખાતે આવેલ કોર્પોરેશનના કરૂણા મંદિરમાં શહેરમાંથી પકડવામાં આવતા પશુઓને રાખવામાં આવે છે. આ પશુઓને ઘાસચારો, નિભાવ, તબિબિ સારવાર તમામ વ્યવસ્થા કર્પોરેશન કરે છે. ત્યારે હવે પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓને આધુનિક નેક બેલ્ટ પહેરાવવામાં આવ્યા છે. આયુષ્માન કાઉફિટ સિસ્ટમ હેઠળ પશુઓને સ્માર્ટ નેકબેલ્ટ લગાવવામાં આવ્યા છે. AI ટેક્નોલોજી સાથે લગાવવામાં આવેલા ટેગથી પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓનું 24 કલાલ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. AI ટેગથી 24 કલાક પશુઓનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી શકાય છે.
આ પશુઓના આરોગ્યની વિશેષ દેખરેખ અને સારવાર માટે આ સિસ્ટમ લગાવવામાં આવી છે. ગાયના ગળામાં એનિમલ કાઉફિટ બેલ્ટ પહેરાવવામાં આવ્યા છે. જેની કિંમત 7500 રૂપિયા છે. આ ડિવાઈસ સેન્સર પધ્ધતિથી કામગીરી કરે છે. આ ટેક્નોલોજીની મદદથી ગાયની ખાવાની મુવમેન્ટ, ઉઠવા-બેસવાની મુવમેન્ટ, પાચન, પુંછડીની મુવમેન્ટથી કોર્પોરેશનને મોબાઈલમાં જ એલર્ટ મળશે. જો કોઈ પશુને ગરમીના કારણે હીટની અસર થઈ હશે તો તેનું એલર્ટ પર મળશે. આ ડેટાના આધારે પશુઓને થતી પાચનની સમસ્યા, ગરમીની અસર વગેરેની જાણ પહેલાથી જ થઈ જશે. પશુઓના આરોગ્યલક્ષી સમસ્યાઓનું આ ડીવાઈસની મદદથી એડવાન્સમાં એલર્ટ મળશે.