સાહેબ માફ કરો… વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓને પોલીસે ચખાડ્યો મેથીપાક

Ahmedabad: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અહીં મોડી રાતે શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. વસ્ત્રાલમાં આરોપીઓએ આતંક મચાવ્યા બાદ પોલીસે આ લોકોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો. પરંતુ આ વખતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને સબક શીખવ્યો છે. અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં 9 શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ વીડિયોમાં લુખ્ખા તત્વો કહી રહ્યા છે સાહેબ માફ કરો…
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલમા આવેલી શાશ્વત મહાદેવ-2 સોસાયટીની બહાર 15થી 20 લુખ્ખાઓના ટોળાએ રાહદારીઓ પર હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી હતી. જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: વસ્ત્રાલમાં અસામાજીક તત્વોએ ઘાતક હથિયારો સાથે મચાવ્યો આતંક, 11 શકમંદોની ધરપકડ