September 28, 2024

નિકોલના ગોડાઉનમાં ભીષણ આગ, માલિક સહિત કારીગર ભડથું થયા

અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ આગમાં બે લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા અરિહંત એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચોઃ સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં, ધમકી આપવા મામલે FIR દાખલ

બંસી પાઉડર કોટિંગ નામના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ત્યારે આગની લપેટમાં આવી જતા 2 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે અન્ય 4 લોકો દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં ગોડાઉનના માલિક સહિત એક કારીગરનું મોત નીપજ્યું છે. જ્યારે ગોડાઉન માલિકના પુત્ર સહિત 4 લોકો આગમાં દાઝ્યાં હતા. ત્યારે ભારે જહેમત બાદ ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઇજાગ્રસ્ત લોકોના નામ
સુરપાલસિંહ, સહદેવ, કનુ અને માલિકનો દિકરો વાસુદેવ પટેલ
મૃતકનાં નામ
રમેશ પટેલ માલિક 50 વર્ષ,
પવન કુમાર કારીગર 25 વર્ષ