મેઘાણીનગરમાં ઘરની ટાંકીમાંથી મળ્યો 3 મહિનાના બાળકનો મૃતદેહ, હત્યા થઈ હોવાની આશંકા

અમદાવાદઃ મેઘાણીનગરના ભાર્ગવ રોડ પાસે આવેલી ઘરની ટાંકીમાંથી 3 મહિનાના બાળકનો મૃતદેહ મળ્યો હતો. 3 મહિનાના બાળક ખ્યાલની હત્યા થઈ હોવાની આશંકા છે.

ઘરમાં બાળકના માતા-પિતા અને સાસુ હાજર હતા. બાળકની માતા અને દાદી પર હાલ શંકા સેવાઈ રહી છે. સવારે બાળક ગુમ થયા હોવાની પરિવારે જાહેરાત કરી હતી. પોલીસે પાંચ કલાક સુધી તપાસ કર્યા બાદ બાળક ઘરમાં રહેલી પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.

બાળકની માતા અંધશ્રદ્ધામાં બાળક મૃત્યુ પામ્યો હોવાનું રટણ રટી રહી છે. બાળકની માતા કરિશ્મા બગેલ બાથરૂમ ગયા ત્યારબાદ બાળક ગુમ થયું હોવાનું જણાવ્યું છે. હાલ આ મામલે મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.