September 10, 2024

વિનેશ મામલે PM મોદી મેદાને, IOA અધ્યક્ષને આ મામલે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા કહ્યું

નવી દિલ્હીઃ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કુસ્તીની સ્પર્ધામાં ફાઈનલ પહેલા જ વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશને અયોગ્ય જાહેર કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ભારતીય કુસ્તીબાજને પ્રોત્સાહન આપ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે “વિનેશ, તું ચેમ્પિયનમાં ચેમ્પિયન છે! તું ભારતનું ગૌરવ છે અને દરેક ભારતીય માટે પ્રેરણા છે. આ ખૂબ જ દુઃખદ છે. હું ઈચ્છું છું કે લાગણીને શબ્દોમાં વ્યક્ત કરી શકાય. તું ભારતનું ગૌરવ છે અને દરેક ભારતીય માટે પ્રેરણા છે. ત્યાં જ હું જાણું છું કે પડકારોનો હિંમતભેર સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત પાછા આવો! અમે બધા તમારી સાથે છીએ.

પીએમ મોદીએ પીટી ઉષા સાથે વાતચીત કરી
પીએમ મોદીએ આ અંગે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી છે. વડાપ્રધાને પીટી ઉષા પાસેથી આ મામલાની માહિતી લીધી અને તમામ વિકલ્પો પર પણ ચર્ચા કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર પીએમ મોદી વિનેશ ફોગાટના કેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પીટી ઉષા સાથે પણ સમગ્ર મુદ્દાને સમજવા અને મુદ્દા પર માહિતી મેળવવા અને વિનેશ મેડલ ચૂકી ગયા પછી ભારતના વિકલ્પો વિશે વાત કરી છે. સાથે જ પીએમ મોદીએ વિનેશની મદદ માટે વિકલ્પો શોધવા કહ્યું છે.. આ સિવાય પીએમ મોદીએ પીટી ઉષાને એવું કહ્યું છે કે  તેનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવે.

પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાઈ
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. વિનેશ ફોગટના બહાર નીકળ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર કહી શકાય. પોતાને મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી છે. ટીમે આખી રાત તેનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે હતું. ભારતીય ટીમ તરફથી અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. અમે બધા તમને વિનેશની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ જેથી અમે આગામી ઇવેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.