અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહાકુંભમાં લીધો સંન્યાસ, કિન્નર અખાડાએ મહામંડલેશ્વરનું આપ્યું બિરુદ

Mahakumbh 2025: જાણીતી ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી હવે મહાકુંભ મેળામાં પ્રવેશી છે. મમતા હવે ગૃહજીવનમાંથી સંન્યાસ લેશે અને સંતનું જીવન જીવશે. શુક્રવારે મમતા કુલકર્ણી ભગવા કપડા પહેરીને મહાકુંભના સેક્ટર નંબર 16 સ્થિત કિન્નર અખાડાના કેમ્પમાં પહોંચી હતી. અહીં તેમનો પટ્ટાભિષેક કરવામાં આવશે. કિન્નર અખાડા દ્વારા તેમને મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું છે. મમતા કુલકર્ણીના આગમનના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બોલિવૂડ અભિનેત્રી મમતાએ 40 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.

કિન્નર અખાડા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી શુક્રવારે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનશે. સંગમ ખાતે પિંડદાન પછી તેમનો પટ્ટાભિષેક સાંજે 6 વાગ્યે કિન્નર અખાડામાં કરવામાં આવશે. તેનું નામ હવે શ્રી યામિની મમતાનંદગીરી હશે.