દિલ્હીના મુસ્તફાબાદમાં પત્તાની જેમ મકાન ધરાશાયી, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

Delhi Mustafabad building collapse: દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં આજે વહેલી સવારે 3:00 વાગ્યાની આસપાસ એક ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઈ ગઈ. શક્તિ વિહાર વિસ્તારના લેન નંબર-1માં આ ઇમારત પત્તાના ઘરની જેમ તૂટી પડી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 11 થયો છે, અને હજુ પણ ઘણા લોકો અંદર ફસાયેલા છે. નોંધનીય છે કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલ બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
#WATCH | Delhi | 4 people died after a building collapsed in the Mustafabad area; rescue and search operation is underway
8-10 people are still feared trapped, said Sandeep Lamba, Additional DCP, North East District pic.twitter.com/UT0KcxUcSO
— ANI (@ANI) April 19, 2025
#WATCH | On the Mustafabad building collapse incident, Delhi CM Rekha Gupta says, "It is a very sensitive issue that the way such weak buildings are being constructed, by flouting all the rules, the officers who are guilty of such construction should also be punished. Contractor… pic.twitter.com/2P71tKRv52
— ANI (@ANI) April 19, 2025
સીએમ રેખા ગુપ્તાએ શોક વ્યક્ત કર્યો
સીએમ રેખા ગુપ્તાએ ટ્વિટર પર લખ્યું, ‘મુસ્તફાબાદમાં ઇમારત ધરાશાયી થવાની દુ:ખદ ઘટનાથી મન ખૂબ જ દુઃખી છે. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીડીએમએ, એનડીઆરએફ, ડીએફએસ અને અન્ય એજન્સીઓ સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. તમામ ઘાયલોની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે.