October 21, 2024

ચોમાસાની સિઝનમાં આ શાકભાજી ન ખાવી જોઈએ

Brinjal In High Uric Acid: વરસાદની સિઝન આવતાની સાથે લીલા લીલા શાકભાજી આવવા લાગે છે. પરંતુ વરસાદની આ સિઝનમાં તમારે ઘણી શાકભાજીને તમારે ખાવા જોઈએ નહીં. તેનું કારણ એ છે કે આ શાકભાજી ચોમાસામાં શરીરમાં પ્યુરિન વધારી શકે છે. જેના કારણે સાંધાના દુખાવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.

કઈ શાકભાજી ન ખાવી જોઈએ

મશરૂમ
ચોમાસાની શાકભાજીમાં મશરૂમનો પણ સમાવેશ થાય છે. મશરૂમ્સ સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ તેમને પણ વરસાદની સિઝનમાં તમારે મશરૂમ ખાવાનું ટાળવું જોઈએ.

રીંગણ
ઉચ્ચ યુરિક એસિડ ધરાવતા દર્દીએ રીંગણનું સેવન ન કરવું જોઈએ. રીંગણ ખાવાથી શરીરમાં પ્યુરીનની માત્રા વધી શકે છે. જેના કારણે તમને સાંધામાં વધુ દુખાવો અને સોજો આવી શકે છે. યુરિક એસિડના દર્દીઓએ વધુ પડતા રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: ટામેટાનો ફેસ પેક આ રીતે બનાવો, ત્વચાને મળશે કુદરતી ચમક

અરબી
અરબી પણ ચોમાસાની સિઝનમાં થાય છે. અરબી ભલે સ્વાદિષ્ટ હોય, પણ યુરિક એસિડને કારણે આ શાક ન ખાવું જોઈએ. અરબી ખાવાથી તમારા શરીરમાં યુરિક એસિડ વધી શકે છે. જેના કારણે તમારે શરીરને લગતી કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પાલક
લીલા શાકભાજીમાં પાલકને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં પાલક ખાવાથી યુરિક એસિડ વધે છે. પાલકમાં પ્રોટીન અને પ્યુરિન બંને મોટી માત્રામાં જોવા મળે છે. જો તમે ચોમાસાની સિઝનમાં પાલકનું સેવન કરો છો તો તમને બળતરા અને પીડાનું કારણ બની શકે છે. યુરિક એસિડના કિસ્સામાં પાલક ન ખાવી જોઈએ.

આ પણ વાંચો: માઈગ્રેનના દુખાવામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે આ 5 ઘરેલું ઉપાય

કોબીજ
કોબીની સિઝન શિયાળો છે. જોકે આજના સમયમાં આખા વર્ષ માટે કોબીનું ઉત્પાદન થાય છે. તમને જણાવી દઈએ કે ઉચ્ચ યુરિક એસિડ ધરાવતા દર્દીએ કોબીનું સેવન ન કરવું જોઈએ. કોબીમાં પ્યુરીનનું પ્રમાણ વધુ હોય છે. તેથી યુરિક એસિડને કારણે કોબી ખાવાનું તમારે ટાળવું જોઈએ.