September 19, 2024

હિંદુઓની રક્ષા કરે સેના, બાંગ્લાદેશની હાલત પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે વ્યક્ત કરી ચિંતા

Bangladesh Crisis: પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ પણ ભારતની ચિંતામાં વધારો કરી રહી છે. ત્યાંના રાજકીય સંકટ વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભારત આવી ગયા છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને લઈને ચિંતા વધી છે, જેના પર જ્યોતિર્મથ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બાંગ્લાદેશની સેનાને ત્યાંના હિંદુઓની સુરક્ષા કરવાની અપીલ કરી છે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાંગ્લાદેશની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. અત્યારે દેશ સેનાની સુરક્ષામાં છે. ચોક્કસ અમે આશા રાખીએ છીએ કે ત્યાંની સેના લોકોની સુરક્ષાની પોતાની જવાબદારી પૂરી કરશે. આપણા 10 ટકા હિન્દુ ભાઈઓ બાંગ્લાદેશમાં રહે છે. તેમની સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. તેથી અમે આ સમયે ત્યાંની સેનાને અને જેઓ ત્યાં સત્તામાં છે તેમને વિનંતી કરવા માંગીએ છીએ કે આપણા હિંદુ લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.

હિંદુઓના રક્ષણની માંગ
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે ‘ત્યાં રહેતા હિંદુઓ પણ તમારા દેશના નાગરિક છે અને દરેક નાગરિક માટે એક પ્રકારની વ્યવસ્થા, સુવિધા અને વ્યવસાય સ્વાભાવિક છે. આ અપેક્ષા સાથે જ અમે તમને આ કહી રહ્યા છીએ. અમે ત્યાંના હિંદુઓને કહેવા માંગીએ છીએ. સંજોગો અનુસાર ધીરજ જાળવીને તમારી જાતને બચાવો અને તમારા દેશની પ્રગતિમાં પણ સહયોગ આપો.

આ પણ વાંચો: બાંગ્લાદેશની સર્વપક્ષીય બેઠકમાં હાજર રહ્યા રાહુલ ગાંધી, એસ. જયશંકરે શું કહ્યું?

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને હિંડન એરબેઝના સેફ હાઉસમાં ખસેડવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તે અહીંથી લંડન અથવા ફિનલેન્ડ જઈ શકે છે. ભારતમાં તેમની સુરક્ષા માટે સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. ભારતે પણ બાંગ્લાદેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે. કેન્દ્ર સરકારે આ સ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપી હતી.