દેશમાં વકફ બોર્ડ હસ્તકની જંગમ મિલકતોમાં ગુજરાત બીજા ક્રમે
ગાંધીનગર: વકફ બોર્ડને આપવામાં આવેલા અમર્યાદિત અધિકારોને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર વકફ બોર્ફની સત્તા ઘટાડવાની તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે સંસદમાં આ સંબંધમાં બિલ રજૂ કરવામાં આવી શકે છે અને આમાં વકફ બોર્ડ એક્ટમાં ઘણા સુધારા કરી શકાય છે. કેબિનેટે વકફ એક્ટમાં સુધારાની અનેક દરખાસ્તોને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, વક્ફ બોર્ડ એ સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, આખા ભારતમાં વક્ફ બોર્ડ એક એવી સંસ્થા છે જે દેશમાં સૌથી વધુ જમીન ધરાવતી બીજા નંબરની સંસ્થા છે. ત્યારે આજે અમે તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે કયાં કેટલી જમીન છે.
ગુજરાત વકફ બોર્ડ પાસે 45000થી વધુ મિલકતો છે. જેમાં 39000 જેટલી સ્થાવર મિલકતો છે જ્યારે બાકીની જંગમ મિલકત છે. વક્ફ બોર્ડ પાસે સૌથી વધુ અમદાવાદમાં સ્થાવર મિલકત 15,425 છે. સુરતમાં 8453, ભરૂચમાં 4163 સ્થાવર મિલકત છે. ગુજરાતમાં વકફ બોર્ડની 5418 જંગમ મિલકત છે. વકફ બોર્ડ હસ્તકની સ્થાવર મિલકતમાં ગુજરાત 8માં ક્રમે છે. વકફ બોર્ડ હસ્તકની જંગમ મિલકતોમાં દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. વકફ બોર્ડ હસ્તક સૌથી વધુ જમીન ભરૂચ જિલ્લામાં છે. ગુજરાતમાં 5 તળાવોનું મેનેજમેન્ટ વકફ બોર્ડ કરે છે. જેમાં 5 પૈકી 3 અમદાવાદમાં અને 2 કચ્છમાં આવેલા છે.
વકફ બોર્ડ હસ્તકની સ્થાવર મિલકતો
ખેતીલાયક જમીન | 3264 |
ઈમારત | 653 |
દરગાહ, મકરબા | 1734 |
દારૂલ ઉલુમ | 19 |
કબ્રસ્તાન | 983 |
ઘર | 12395 |
ઈદગાહ | 168 |
મદ્રેસા | 392 |
મસ્જિદ | 2999 |
પ્લોટ | 2235 |
શાળા | 22 |
દુકાન | 6841 |
અન્ય | 8235 |
કુલ | 39940 |
કયા જિલ્લામાં કેટલી સંપતિ
અમદાવાદ | 15425 |
સુરત | 8453 |
કચ્છ | 2483 |
ભરૂચ | 4163 |
વડોદરા | 2028 |
આણંદ | 334 |
ભાવનગર | 508 |
દાહોદ | 71 |
જૂનાગઢ | 884 |
ખેડા | 394 |
મહેસાણા | 408 |
પાટણ | 712 |
રાજકોટ | 730 |
સાબરકાંઠા | 495 |
સુરેન્દ્રનગર | 260 |
બનાસકાંઠા | 646 |
અમરેલી | 343 |
ગાંધીનગર | 67 |
જામનગર | 341 |
પોરબંદર | 159 |
નવસારી | 442 |
પંચમહાલ | 404 |
નર્મદા | 43 |
વલસાડ | 103 |
તાપી | 44 |