હજ દરમિયાન ગરમીના કારણે સાઉદી અરેબિયામાં 98 ભારતીયોના મોત

Hajj Pilgrims: સાઉદી અરેબિયામાં હજ દરમિયાન ભારે ગરમી અને કુદરતી કારણોસર મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે, જેમાં 98 ભારતીયોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે આ માહિતી અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 1,75,000 ભારતીયો હજ માટે સાઉદી અરેબિયા ગયા છે. અત્યાર સુધીમાં, 10 દેશોના 1,081 હજયાત્રીઓ (હજ પર જતા લોકો હજયાત્રીઓ કહેવાય છે) મૃત્યુ પામ્યા છે. જેમાં મહત્તમ 658 ઇજિપ્તના યાત્રાળુઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

હજ માટે ગયેલા ભારતીયોના મૃત્યુ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “આ વર્ષે અમારી પાસે 1,75,000 ભારતીયો છે જેઓ હજ માટે ગયા છે. અમે અમારા 98 નાગરિકો ગુમાવ્યા છે. લાંબી માંદગી અને વૃદ્ધાવસ્થા સહિતના કુદરતી કારણોસર તેમનું અવસાન થયું. અરાફતના દિવસે છ ભારતીયોના મોત થયા હતા અને અકસ્માતને કારણે ચાર ભારતીયોએ જીવ ગુમાવ્યા હતા. ગયા વર્ષે હજ દરમિયાન મૃત્યુ પામેલા ભારતીયોની સંખ્યા 187 હતી.

સાઉદી અરેબિયાનું તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ
હજ દરમિયાન યાત્રીઓએ કલાકો સુધી ચાલીને પ્રાર્થના કરવી પડે છે. આ દરમિયાન સાઉદીમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, દર વર્ષે ઓછામાં ઓછા પાંચ લાખ લોકો મૃત્યુ પામે છે. સંગઠને ચેતવણી આપી છે કે આ આંકડો 30 ગણો વધી શકે છે. સાઉદી અરેબિયાના રાજદ્વારીઓ હજ દરમિયાન થયેલા મૃત્યુ અંગે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી સાઉદી અરેબિયાના આકરા ઉનાળા દરમિયાન હજ થઈ રહી છે. ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદી અધ્યયન અનુસાર, જે વિસ્તારમાં પૂજા થાય છે ત્યાંનું તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે.