પાકિસ્તાનનું ગળું સુકાયું!: ભારતને પત્ર લખ્યો-‘સિંધુ જળ સંધિ પર વિચાર કરો’

India Pakistan Conflict: પાકિસ્તાને ઔપચારિક રીતે ભારતને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયે ભારતના વિદેશ મંત્રાલયને પત્ર લખીને ચેતવણી આપી છે કે નવી દિલ્હી દ્વારા સંધિને રોકવાના પગલાથી પાકિસ્તાનમાં કટોકટી સર્જાઈ શકે છે. પાકિસ્તાન સરકારે બુધવારે (14 મે 2025) ભારતના જલશક્તિ મંત્રાલયને પત્ર લખીને સિંધુ જળ સમજૂતીને મુલતવી રાખવા પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.
Big Breaking 🚨
Amid growing water crisis, Pakistan has reached out to India with an urgent request. Ministry of Water Resources in Pakistan has formally written to India’s Ministry of Jal Shakti, pleading for a reconsideration of the decision!— Voice of Hindus (@Warlock_Shubh) May 14, 2025
પાકિસ્તાનના જળ સંસાધન સચિવે પત્ર લખ્યો
પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તઝાએ ભારતને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે, “સિંધુ જળસંધિ સ્થગિત થવાને કારણે, પાકિસ્તાનમાં ખરીફ પાક માટે પાણીની મોટી કટોકટી છે. સિંધુ જળ સંધિ પર ફરી એકવાર પુનર્વિચાર કરો.” પાકિસ્તાને આ પત્રની એક નકલ ભારતના વિદેશ મંત્રાલયને પણ મોકલી છે.