અમિત ખૂંટ આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, કોંગ્રેસ અગ્રણી સહિત અન્ય એકની ધરપકડ

રાજકોટઃ રીબડાના અમિત ખૂંટની આત્મહત્યા મામલે મોટો ખુલાસો થયો છે. ગોંડલ પોલીસ દ્વારા આરોપી પૂજા રાજગોરની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ આવીને મને ઓફર કરી હતી.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, રીબડાના રહેવાસી અમિત ખૂંટને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળમાં ફસાવી શરીરસંબંધ બાંધવા માટે ઓફર મળી હતી. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી આ કાંડ રચ્યું હતું. રૂપિયાની ઓફર અને સારી જોબની ઓફર મળી હતી. પૂર્વ આયોજિત કાવતરું ઘડી એડવોકેટ સંજય પંડિત અને કોંગ્રેસ અગ્રણી દિનેશ પાતરે પહેલેથી છેલ્લે સુધી સાથે રહેવાનું વચન આપ્યું હતું.
હાલ આ મામલે ગોંડલ પોલીસે હાલ પૂજા રાજગોર, એડવોકેટ સંજય પંડિત અને કોંગ્રેસ અગ્રણી દિનેશ પાતરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. રીબડાના અમિત ખૂંટે પોતાની જ વાડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેની સુસાઈડ નોટમાં 2 યુવતી તેમજ અનિરૂદ્ધસિંહ જાડેજા તેમજ રાજદિપસિંહ જાડેજાનું નામ લખ્યું હતું.