સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાનું નિવેદન, ‘દિકરીઓએ કમરમાં રિવોલ્વર રાખી ફરવું જોઈએ’

અમદાવાદ: સરદારધામ ખાતે UPSC અને GPSCમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયું હતું. આ સમ્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. સમગ્ર ગુજરાતમાંથી UPSC અને GPSCમાં પાસ થયેલા લગભગ 50થી પણ વધારે વિદ્યાર્થીઓનું આ સમારોહમાં સામેલ થયા હતા. વિદ્યાર્થીઓ પર ફુલની પાંખડીઓ ઉડાવી તેમનો આવકાર કરાયો હતો.

સરદારધામ UPSC અને GPSCમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં સ્થાપક ટ્રસ્ટી ગગજી સુતરિયાએ જણાવ્યું હતું કે, દિકરીઓએ કમરમાં રિવોલ્વર રાખી ફરવું જોઇએ. સરદાર ધામમાં દિકરીઓને તલવારની તાલિમ અપાય છે. હું 25 વર્ષ આગળનું વિચારી રહ્યો છું. સરદાર ધામમાં સેલ્ફ ડિફેસની તાલીમ આપવામાં આવશે.

સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયાએ સ્વરક્ષણને લઈને સૂચક નિવેદન આપાતા જણાવ્યું કે, દીકરીઓ પાસે પણ રિવોલ્વર હોવી જોઈએ. હું 25 વર્ષના વિઝનને લઈને આ વાત કરું છું. દેશમાં ઈઝરાયેલની જેમ લશ્કરની તાલીમ આપવામાં આવવી જોઈએ. દેશના દરેક વ્યક્તિને સુરક્ષાની તાલીમ આપવામાં આવે તે જરૂરી છે. દુશ્મનને ઠાર મારવામાં જે નિર્ણય કરવાના હોય તેમાં તમારી સાથે છીએ. અહિંસા પરમો ધર્મને વંદન, હવે વીરતા પરમો ધર્મનો સમય છે.

સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર ધામ ખાતે તાલીમ મેળવી UPSC અને GPSC સફળ થયેલ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્ર માટે જરૂર હોય તેવા પગલાં લેવામાં PM કોઈ કચાસ છોડશે નહીં. સરદાર પટેલે રજવાડાઓ ભેગા કરી એક ભારત બનાવ્યું છે. જેમાં PMએ એક ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. ચિપ બનાવવાની શરૂઆત ગુજરાતમાં થાય તેનો ગૌરવ છે. ભવિષ્યમાં આવતા પડકારો માટે આપડે દ્રષ્ટિ રાખવાની છે. આપડે બધા આઝાદીમાં સહભાગી થઈ નથી શકયા, પરંતુ હવે જ્યાં જેટલી મદદરૂપ થઈ શકીએ તે થઈએ. એક પેડ માં કે નામ કરો તો પણ સહભાગી છો. પાણી બચાઓ વીજળી બચાઓ આવી રીતે રાષ્ટ્રના સહભાગી થાવ. સૌથી વધારે યોગદાન અહીંથી UPSC પાસ થયેલા 4 વિધાર્થીઓ આપી શકશે. સરકાર તરીકે કોઈ સમાજ આગળ આવતો હોય તો તેની સાથે ઉભુ રહેવું અમારી ફરજ છે.