ગુજરાત હાઇકોર્ટમાં નવા 7 ન્યાયાધીશની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટને નવા 7 ન્યાયાધીશ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા તમામની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી અને તે ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.

કોની કોની નિમણૂક કરી?

  1. લિયાકતહુસૈન શમસુદ્દીન પીરઝાદા
  2. રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી
  3. જયેશ લાખણશીભાઈ ઓડેદરા
  4. પ્રણવ મહેશભાઈ રાવલ
  5. મૂળ ચંદ ત્યાગી
  6. દિપક મનસુખલાલ વ્યાસ
  7. ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ