વૈભવ સૂર્યવંશીને સિનિયર ભારતીય ટીમમાં સ્થાન નહીં મળે?

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ આઈપીએલમાં આવતાની સાથે અજાયબીઓ કરી બતાવી છે. શાનદાર પ્રદર્શનને કારણે તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વૈભવ IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે અને તેણે પોતાની ઉંમર કરતાં ઘણી વધારે બુદ્ધિ અને તાકાતથી રમ્યો છે. વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને IPLના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. મોટી વાત તો એ છે કે વિશ્વના ટોચના બોલરોનો સામનો કરી રહ્યો છે. વૈભવ મોટા સ્ટેડિયમમાં વિશ્વના ટોચના બોલરોનો સામનો કરી રહ્યો છે અને શાનદાર ગતિએ રન બનાવી રહ્યો છે. પંરતુ ભારતીય ટીમમાં તેને સ્થાન નહીં મળે. આવો જાણીએ તેનું કારણ.

આ પણ વાંચો:CSKમાંથી આ 5 ખેલાડીઓને બહાર કરવામાં આવશે?

વૈભવ સૂર્યવંશીને કેમ ન મળી શકે સ્થાન
વૈભવ સૂર્યવંશીને ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાની માંગ લોકો કરવા લાગ્યા છે. ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે કે વૈભવમાં ભવિષ્યમાં એક મહાન ખેલાડી બનવાની સંપૂર્ણ ક્ષમતા છે. ICCએ 2020 માં એક નિયમ બનાવ્યો છે જે મુજબ કોઈપણ ખેલાડી 15 વર્ષનો ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમી શકશે નહીં. BCCI આ મામલે ICC સમક્ષ યોગ્ય રીતે મૂકે અને ICC સંમત થાય છે તો તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી શકે છે.