ભારત પોતાના જ લોકોને મારી નાખે છે: ક્રિકેટર શાહિદ આફ્રિદી

Shahid Afridi: પહલગામમાં હુમલા બાદ ભારત સરકાર એક પછી એક પાકિસ્તાનને ના ગમે તેવા નિર્ણય લઈ રહી છે. હવે કિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી એક નિવેદન આપ્યું છે. જેમાં તેણે ફરી બકવાસ કર્યો છે.

આ પણ વાંચો: પહલગામ હુમલા અંગે ભારત સરકારે લીધો મોટો નિર્ણય, શોએબ અખ્તરની યુટ્યુબ ચેનલ કરી બ્લોક

ભારત પોતે જ પોતાના લોકોને મારી નાખે છે
પહલગામ હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી આતંકવાદીઓની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ આતંકવાદને કારણે ભારતમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે પાકિસ્તાન માટે. ભારત સરકાર એક પછી એક એવા નિર્ણય લઈ રહી છે જેના કારણે પાકિસ્તાનના લોકોને મરચું લાગી રહ્યું છે. આ વચ્ચે શાહિદ આફ્રિદીએ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ભારત પોતાના જ લોકોને મારી નાંખે છે. હવે તો બેશરમીની પણ એક હદ થઈ ગઈ છે. પહલગામમાં હુમલો થયો ત્યારે 8 લાખ સેનામાંથી કોઈ ત્યાં કેમ ના આવ્યું તમામ સેના ત્યાં જ હતી તો. હુમલો થયાના 10 મિનિટમાં જ પાકિસ્તાન પર આરોપ લગાવી લીધો હતો. આ તેમનું કામ છે. તેઓ પોતાના લોકોને જ મારી નાંખે છે. ભારતે આવું ન કરવું જોઈએ. કોઈ પણ દેશ આતંકવાદને સમર્થન આપતો નથી અને પાકિસ્તાન હંમેશા શાંતિની વાત કરે છે.