કાશ્મીરના કિશ્તવાડમાં આર્મી યુનિફોર્મ રાખવા, સીવવા અને વેચવા પર પ્રતિબંધ લગાવાયો

જમ્મુ અને કાશ્મીર: 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. ત્યારથી પહલગામમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. કિશ્તવાડમાં જિલ્લા વહીવટીતંત્રે સૈન્ય યુનિફોર્મના વેચાણ, સિલાઈ અને સ્ટોકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં જિલ્લા વહીવટીતંત્રે આર્મી યુનિફોર્મના વેચાણ, સિલાઈ અને સ્ટોકિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલું વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. વહીવટીતંત્રે આદેશ આપ્યો છે કે હવે કોઈ પણ વ્યક્તિ સેનાનો ગણવેશ વેચી શકશે નહીં, સીવી શકશે નહીં કે રાખી શકશે નહીં. શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ આના પર નજર રાખશે.