પહલગામ હુમલામાં સરકારે સ્વીકારી સુરક્ષામાં ચૂક, સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે ઉઠાવ્યા આ પ્રશ્નો

Pahalgam terror attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા, ત્યારબાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં છે. આ દરમિયાન સરકારે આજે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.
#WATCH | Delhi: All-party meeting called by the Central Government underway at the Parliament Annexe building
Union HM Amit Shah, Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar are also present
#PahalgamTerroristAttack pic.twitter.com/Ntt27DETDo
— ANI (@ANI) April 24, 2025
આ ઘાતકી આતંકવાદી હુમલાની બેઠકમાં સર્વાનુમતે નિંદા કરવામાં આવી હતી. વિપક્ષી પક્ષોએ કહ્યું કે અમે સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને સમર્થન આપીશું. સર્વપક્ષીય બેઠકમાં, વિપક્ષી પક્ષોએ કઠોર પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું, ક્યાં હતી ગુપ્તચર એજન્સીઓ?”, ક્યાં હતી CRPF અને સુરક્ષા દળો?’ મોટાભાગના રાજકીય પક્ષોએ ગુપ્તચર ખામી અને ત્યાં યોગ્ય સુરક્ષા તૈનાતીનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ એમ પણ પૂછ્યું કે જ્યાં ઘટના બની ત્યાં કોઈ સુરક્ષા કર્મચારી કેમ નહોતા?
#WATCH | Delhi: A two-minute silence was observed during the all-party meeting called by the Central Government to honour the innocent lives lost in the Pahalgam terror attack pic.twitter.com/0Hf5XPcedK
— ANI (@ANI) April 24, 2025
સરકારની પ્રતિક્રિયા
આ અંગે સરકારે કહ્યું કે સામાન્ય રીતે આ રસ્તો જૂન મહિનામાં ખોલવામાં આવે છે જ્યારે અમરનાથ યાત્રા શરૂ થાય છે કારણ કે અમરનાથ યાત્રાના યાત્રાળુઓ આ સ્થળે આરામ કરે છે. આ વખતે સ્થાનિક ટૂર ઓપરેટરોએ સરકારને જાણ કર્યા વિના પ્રવાસીઓનું બુકિંગ લેવાનું શરૂ કર્યું અને 20 એપ્રિલથી પ્રવાસીઓને ત્યાં લઈ જવાનું શરૂ કર્યું. સ્થાનિક અધિકારીઓને આ વાતની જાણ નહોતી અને તેથી ત્યાં તૈનાતી કરવામાં આવી ન હતી. કારણ કે આ સ્થળે દર વર્ષે જૂન મહિનામાં અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલાં તૈનાતી કરવામાં આવે છે.
#Pahalgam terrorist attack: After attending the all-party meeting.
— kiran rijiju saysWatch it 👇#PahalgamTerroristAttack pic.twitter.com/lko2jVYdTb
— Chandan Prasad (@Mrchandanprasad) April 24, 2025
રિજિજુએ કહ્યું- હુમલાથી દેશમાં દરેક લોકો ચિંતિત છે
સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, “સંરક્ષણમંત્રીએ CCS બેઠકમાં પહલગામની ઘટના અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. દેશમાં દરેક વ્યક્તિ આ અંગે ચિંતિત છે; આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે આજે વધુ કડક પગલાં લેવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.”