કામધેનુ યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ, રાજ્યપાલે કાશ્મીરની ઘટના અંગે શોક વ્યક્ત કર્યો

ગાંધીનગર: આજરોજ કામધેનુ યુનિવર્સિટીનો 11મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ હાજર રહ્યા હતા. કમધેનુ યુનિવર્સિટીમાં 742 વિધાર્થીઓને પદવી અપાઈ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, કાશ્મીરમાં અમારા ભાઈઓની નિમર્મ હત્યા કરાઈ છે. તમામ મૃતકોની પ્રાર્થના કરીએ તેમજ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજયપલ પોતાના પ્રવચન દરમિયાન કાશ્મીરની ઘટનાનો શોક વ્યક્ત કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પદવીદાન સમારોહમાં આપ બધાને મળવાનું થયું છે. PHD ડીગ્રી હાંસલ કરનારા તમામ વિધાર્થીઓ અને માતા-પિતાને અભિનંદન પાઠવું છું. ખોરાક પવિત્ર નહિ તો વિચાર પવિત્ર નહીં હોતો, કાશ્મીરમાં આતંકીનો ખોરાક જોવો શું છે. એમના ખરાબ ખોરાકના કારણે તેમના વિચારો ખરાબ છે.
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જમાવ્યું કે, ગોલ્ડ મેડલ હાંસલ કરનારા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું. હવે વિદ્યાર્થીઓને જીવનમાં નવતર પર્યોગ કરવાની તક છે. તમારું સંસોધન ગ્રામ કક્ષાએ ફાયદા કારક નીવડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી માર્ગદર્શન હેઠળ પશુપાલન અને મત્સ્ય ઉધોગમાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે ચાલુ બાબતમાં કામધેનુ યુનિવર્સિટીમાં 380 કરોડ રૂપિયાની રકમ આપી છે. તેમજ પોરબંદર ખાતે 3 કરોડના ખર્ચે ivf લેબ બનાવી રહ્યા છીએ. ભારતમાં 28 મિલિયન લોકો માછીમારોનો વ્યવસાય કરે છે. ભારત ફિશ ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે.