પહલગામ આતંકી હુમલાને લઈ ઇડરનું માર્કેટ બંધ સ્વયંભૂ રહ્યુ, કડક કાર્યવાહીની કરી માગ

ચિરાગ મેઘા સાબરકાંઠા: જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં દેશના 28 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા છે. ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે. જેના પગલે સાબરકાંઠાના ઇડરમાં પણ આજે સવારથી જ સ્વયંભૂ ઇડરનું માર્કેટ સંપૂર્ણ બંધ રાખી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માગ કરાઇ રહી છે.

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે 28 નિર્દોષ નાગરિકોની હત્યા કરાતા આજે સાબરકાંઠા સહિત ભારતભરમાં આતંકવાદી કૃત્યને દેશભરના લોકોએ વખોડી કાઢ્યો છે. સાથોસાથ આગામી સમયમાં આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહીની માગ કરાઈ રહી છે. એક તરફ દેશના અલગ અલગ રાજયોના નિર્દોષ નાગરિકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરાતા મોટાભાગના લોકોના મોત થયા છે. તો બીજી તરફ સાબરકાંઠા સહિત દેશભરમાં આતંકવાદી કૃત્ય સામે ભારે રોષ સર્જાયો છે. જેમાં નિર્દોષ નાગરિકોની હત્યા બદલ એક ઠેકાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ સાબરકાંઠાના ઈડરમાં સવારથી બજારો સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા છે. જોકે આવનારા સમયમાં આ મામલે ચોક્કસ પગલાં ભરવા રજૂઆત કરાઈ રહી છે. તો બીજી તરફ નિર્દોષ લોકોની હત્યા કરનારાઓને કોઈપણ ભોગે સજા આપવાની માગ કરાઈ છે.

સામાન્ય રીતે જમ્મુ કશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદી કૃત્ય ઉપર લગામ લાગી હોય તેમ કોઈ મોટી ઘટના બનવા પામી નથી. જોકે આતંકવાદી કૃત્ય હજુ પણ પૃથ્વીના સ્વર્ગ ગણાતા ઘાટી વિસ્તારમાં યથાવત હોય તેમ કશ્મીરમાં પ્રવાસીઓ ઉપર અત્યાર સુધીનું સૌથી મોટો હુમલો થયો છે. ત્યારે હવે આરપારની લડાઈ લડવાની પણ સ્થાનિકો માગ કરી રહ્યા છે. જોકે એક તરફ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુલેહ માટે પાયારૂપ ભુમિકા ભજવનાર ભારત સામે હવે આતંકના આકાઓને સાચો પાઠ ભણાવવાનો સમય આવ્યો હોય તેવી પણ આજે માગ ઉઠી છે.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા આતંકવાદી હુમલાઓ બાદ સર્જીકલ સ્ટ્રાઈક થકી ફાયર ઓફ ભૂમિકા ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આવનારા સમયમાં હવે આરપારની લડાઈ થકી ભવિષ્યમાં ક્યારેય આવી ઘટના ન બને તેવી માગ કરાઈ છે.