આતંકવાદી હુમલા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, હુમલામાં જીવ ગુમાવનારાઓને મળશે ન્યાય

Harsh Sanghavi: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે તેઓએ પહલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવ્યા, જેમાં 26 લોકો માર્યા ગયા. આ હુમલા બાદ સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને લઈને નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે, હુમલામાં જીવ ગુમાવનારાઓને ન્યાય મળશે.
વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, કાશ્મીર ગયેલા નાગરિકોને પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી દ્વારા પર્યટકોને વતન પરત લાવવા સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલ પર્યટકોને સારવાર ત્યાંની હોસ્પિટલોમાં આપવામાં આવી રહી છે. તેમજ એક-એકને શોધીને વળતો જવાબ આપવામાં આવશે. નોંધનીય છે કે, આતંકીઓ પર રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે, ધર્મને આધારે કાયરો હુમલો કરે છે.
આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલા અંગે મોટો ખુલાસો, જાણો કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ