પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત, આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછીને ગોળીબાર કર્યો

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ 26 લોકોમાંથી 25 પ્રવાસી છે અને એક સ્થાનિક નાગરિક છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર 50થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દિલ્હીથી શ્રીનગર માટે રવાના થઈ ગયા છે અને પીએમ મોદીએ અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે.
A Kashmiri Muslim man helped all those people who were injured in the attack and took them to the hospital.
While helping, he did not ask anyone's name and religion.
This is Kashmiriyat, this is Islam!#PahalgamTerrorAttack #Pahalgam #TerroristAttack #Kashmir #PahalgamAttack pic.twitter.com/jJRGXpDS7u
— Md. Arman (@MdArmanINC) April 22, 2025
આતંકવાદીઓને ઠાર મારવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
માહિતી અનુસાર, આટલા મોટા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય આર્મી વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફ દ્વારા આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
VIDEO | Jammu and Kashmir: Visuals of firing incident in Pahalgam, several are feared injured in terrorist attack. More details awaited.#Pahalgam #terrorist
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/TpAvAooYDm
— Press Trust of India (@PTI_News) April 22, 2025
આતંકવાદી હુમલાના સમાચાર મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં સેના અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અમિત શાહ કાશ્મીર જવા રવાના થયા.