IPLમાં રાજસ્થાન રોયલ્સ પર લાગ્યોમેચ ફિક્સિંગનો આરોપ, સરકારને કરી આ અપીલ

Rajasthan Royals: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 36મી મેચમાં રાજસ્થાનની ઓનલી 2 રનથી હાર થઈ હતી. આ પછી રાજસ્થાનની ટીમ પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની એડ-હોક સમિતિના સંયોજક જયદીપ બિહાનીએ આરઆર પર ‘મેચ ફિક્સિંગ’નો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: IPL 2025: એક મેચ માટે ચીયરલીડર્સને કેટલા રુપિયા મળે છે?

આરોપો પાયાવિહોણા
રાજસ્થાનની ટીમે 2 મેચ એવી રમી હતી. જેનું પરિણામ જીતમાં બદલી શકાયું હોત. પરંતુ અમૂક કારણો સર આ મેચમાં રાજસ્થાનને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ પર મેચ ફિક્સિંગના આરોપો લગાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં RR ફ્રેન્ચાઈઝીએ કહ્યું છે કે જયદીપ બિહાનીના તમામ નિવેદનો પાયાવિહોણા હતા. આ પછી ફ્રેન્ચાઇઝીએ સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રમુખ નીરજ કે પવન, મુખ્યમંત્રી અને રમતગમત મંત્રીને પત્ર લખ્યો હતો. જેના જવાબમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે ભવિષ્યમાં RCA કન્વીનર જયદીપ બિહાણી તરફથી આવા નિવેદનો અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.