ન્યુમોનિયા નહીં પણ આ બીમારીથી થયું પોપ ફ્રાન્સિસનું નિધન! ડેથ સર્ટિફિકેટમાં ખુલાસો

Pope Francis: પોપ ફ્રાન્સિસનું સોમવારે વેટિકન સિટીમાં 88 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ફ્રાન્સિસને તાજેતરમાં ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે એ વાત સામે આવી છે કે ફ્રાન્સિસના મૃત્યુનું કારણ ન્યુમોનિયા નહોતું.

પોપને ફેબ્રુઆરીમાં ડબલ ન્યુમોનિયા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ 38 દિવસ ત્યાં રહ્યા હતા. ડબલ ન્યુમોનિયાની સાથે ફ્રાન્સિસ ફેફસાના ક્રોનિક રોગથી પણ પીડાતા હતા. ઉપરાંત જ્યારે તે નાના હતા ત્યારે તેમના ફેફસાંનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. તેમને ડબલ ન્યુમોનિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ માર્ચમાં તેમને રજા આપવામાં આવી હતી. માર્ચમાં હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ફ્રાન્સિસ નબળા દેખાતા હતા અને ખરાબ તબિયતને કારણે તેમણે ઘણા કાર્યક્રમો પણ રદ કર્યા હતા.

સોમવારે વેટિકન દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ ફ્રાન્સિસનું મૃત્યુ ડબલ ન્યુમોનિયાને કારણે શ્વાસ લેવામાં તકલીફને કારણે થયું ન હતું. સોમવારે વેટિકન દ્વારા જારી કરાયેલા તેમના ડેથ સર્ટિફિકેટ અનુસાર પોપ ફ્રાન્સિસના મૃત્યુનું કારણ સ્ટ્રોક હતો જેના કારણે તેઓ કોમામાં ગયા અને હાર્ટ ફેલ થઈ ગયું.

આ પણ વાંચો: PM મોદી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, જેદ્દાહમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે કરશે દ્વિપક્ષીય બેઠક

પોપ ફ્રાન્સિસના મૃત્યુનું સંભવિત કારણ સેરેબલ રક્તસ્ત્રાવ હતો. આ સૂત્રોએ ANSA ને માહિતી આપી હતી કે પોપ ફ્રાન્સિસના મૃત્યુના સંભવિત કારણોમાંનું એક મગજનો રક્તસ્ત્રાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ સીધી રીતે મૃત્યુનું કારણ નથી. વેટિકન પ્રવક્તા માટ્ટેઓ બ્રુનીએ અગાઉ મીડિયાને જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસના મૃત્યુનું ચોક્કસ કારણ “આજે સાંજે” (વેટિકન સમય મુજબ) જાહેર કરવામાં આવશે.