રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત; 3 ઇજાગ્રસ્ત

રાજકોટઃ રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર-ભાડલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી હતી. જેમાં 4 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. જ્યારે 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

મૃતકોનાં નામ

નિરુબેન અતુલભાઈ મકવાણા, 30, રે. ગોંડલ
હેતવી અતુલભાઈ મકવાણા, 4 વર્ષ, રે. ગોંડલ
હેમાંશી શાહીલ સરવૈયા, 19, રે. ગોંડલ વિજય નગર
મિતુલ અશોકભાઈ સાકરીયા, 13, રે. ગોંડલ

ઇજાગ્રસ્તોનાં નામ

શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ
હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ
નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલ