રાજકોટ સીટી બસ અકસ્માતની ઘટનામાં કંપનીને માત્ર રૂ.2674નો દંડ!

રાજકોટ: રાજકોટ સીટી બસ અકસ્માતની ઘટનામાં કંપનીને માત્ર રૂ.2674નો દંડ થશે. મનપા અને કંપની વચ્ચે થયેલ કોન્ટ્રાક્ટ મુજબ દંડ ફટકારાશે. અકસ્માતની ઘટનામાં કંપનીને 50 કિમી ટ્રિપના દંડની જોગવાઈ છે. મનપા કંપનીને પ્રતિ કિમી દીઠ 53.48 રૂપિયા ચૂકવે છે.
રાજકોટમાં સીટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની PMI કંપનીને આપવામાં આવ્યો છે. સીટી બસના સંચાલન માટે વિશ્વકર્મા અને નારાયણ નામની બે એજન્સી દ્વારા સીટી બસ સેવા ચલાવવામાં આવે છે. એજન્સીનું સંચાલન મનપાના પૂર્વ આસી.ઇજનેર જસ્મિન રાઠોડ અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર નામની વ્યક્તિ સંભાળે છે.