જૈન આચાર્ય સાગરચંદ્ર સાગરના બીભત્સ વાયરલ ફોટાઓ ફોરેન્સિક તપાસમાં સાચા નીકળ્યા

અમદાવાદ: જૈન આચાર્ય સાગરચંદ્ર સાગરના બીભત્સ વાયરલ ફોટાઓની ગાંધીનગર ફોરેન્સિક લેબમાં ચકાસણી કરવામાં આવી છે. ફોટા AI હોવાનો બોગસ ફોરેન્સિક રિપોર્ટ સાગરચંદ્ર સાગર દ્વારા જાહેર કરાયો હતો. ત્યારે સાગરચંદ્ર સાગરે જાહેર કરેલો રિપોર્ટ બોગસ હોવાનો જૈન સમાજે આરોપ મૂક્યો હતો. સાગરચંદ્ર સાગરે ફોટા સાથે છેડછાડ કરી બોગસ રિપોર્ટ જાહેર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જે મામલે આજરોજ જૈન મુનિના વાયરલ થયેલા ફોટાઓનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં ચકાસણી કરવામાં આવી છે.
જૈન સમાજના અગ્રણી હાર્દિક હુંડિયાએ ફોટાઓનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં કરેલ રિપોર્ટ જાહેર કર્યો છે. સાધ્વી સાથે નગ્ન ફોટા વાયરલ થયા હતા તે ફોરેન્સિક તપાસમાં સાચા નીકળ્યા છે. વાયરલ થયેલા ફોટા સાથે કોઈ છેડછાડ થઈ નથી.
જૈન સંઘો અને સમાજ સાગરચંદ્ર સાગરનો બહિષ્કાર કરે તેવી માગ કરાઈ છે. જૈન સમાજના અગ્રણીઓ આ બાબતે સાગરચંદ્ર સાગર સામે કાયદાકીય કાર્યવાહી કરશે. સાગરચંદ્ર સાગરે મુંબઈ પાસે પાર્શ્વપુરમ નામનું તીર્થ બનાવ્યું છે. ધર્મના નામે સમાજ પાસેથી કરોડો રૂપિયાનો ધંધો કર્યો. મુંબઈના એકપણ સંઘે સાગરચંદ્ર સાગરને રાખ્યા નથી. સાગરચંદ્ર સાગરે ગોવા હાઇવે પર ઐયાસી કરવા માટે પાર્શ્વપુરમ તીર્થ ઉભું કર્યું છે. આ બાબતે સમાજની પ્રવર સમિતિએ ગચ્છાધિપતિને રજૂઆત કરી છે. ગચ્છાધિપતિ અને આચાર્યને રજૂઆત બાદ સાગરચંદ્ર સાગર સામે કોઈ નિર્ણય લેવાયો નથી.
આ મામલે ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટીમ પાલીતાણા પહોંચી હતી. ત્યારે સાગરચંદ્ર સાગર મહારાજે આ મામલે બોલવાનું ટાળ્યું હતું. બિભત્સ ફોટા અંગે 4 એડવોકેટની પેનલની ટીમ આ બાબતે જવાબ આપશે. ટીમમાં વડોદરાના નીરજ જૈન, સુરતના હિતેશ જૈનનો સમાવેશ થાય છે. અભયજી ચોપડા નાગદા અને નિસર્ગ જૈનનો સમાવેશ છે.