ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર રશિયાનો હુમલો! યુક્રેને કટાક્ષ કરતા કહ્યું- આ કેવી મિત્રતા?

Russia Ukraine war: રશિયા અને યુક્રેન વચ્ચે અણબનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવે ભારતમાં યુક્રેનિયન દૂતાવાસે જણાવ્યું હતું કે રશિયાએ શનિવારે યુક્રેનમાં એક ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દૂતાવાસે આરોપ લગાવ્યો છે કે રશિયા ભારત સાથે મિત્રતાનો દાવો કરે છે પરંતુ યુક્રેનમાં ભારતીય વ્યવસાયોને જાણી જોઈને નિશાન બનાવી રહ્યું છે.
યુક્રેનિયન દૂતાવાસે જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દવા કંપની કુસુમના વેરહાઉસ પર શનિવારે રશિયન મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત સાથે મિત્રતાનો દાવો કરતું રશિયા જાણી જોઈને ભારતીય વ્યવસાયોને નિશાન બનાવી રહ્યું છે. તે બાળકો અને વૃદ્ધો માટે બનાવાયેલી દવાઓનો નાશ કરી રહ્યો છે.
Today, a Russian missile struck the warehouse of Indian pharmaceutical company Kusum in Ukraine.
While claiming “special friendship” with India, Moscow deliberately targets Indian businesses — destroying medicines meant for children and the elderly.#russiaIsATerroristState https://t.co/AW2JMKulst
— UKR Embassy in India (@UkrembInd) April 12, 2025
રશિયા-યુક્રેન સંઘર્ષ પર ભારતનું વલણ સ્પષ્ટ
તમને જણાવી દઈએ કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ભારત સરકારે રશિયા-યુક્રેન સંઘર્ષમાં યુદ્ધ સામે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમે શાંતિના પક્ષમાં છીએ. પીએમ મોદીએ કહ્યું હતું કે મારા રશિયા અને યુક્રેન બંને સાથે ગાઢ સંબંધો છે. હું રાષ્ટ્રપતિ પુતિનને કહી શકું છું કે આ યુદ્ધનો સમય નથી, અને હું રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પણ કહી શકું છું કે દુનિયામાં ગમે તેટલા લોકો તમારી સાથે હોય, યુદ્ધથી ક્યારેય કોઈ સમાધાન નહીં થાય.
આ પણ વાંચો: બે દિવસ રાહત બાદ ફરી વધશે ગરમી, દિલ્હીવાસીઓ કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર