વકફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું, કારણ કે કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે: ફતેસિંહ ચૌહાણ

Panchmahal: છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં વકફ સુધારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે પંચમહાલ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ચાર દિવસ કોઈ જગ્યાએ કોઈ મુસ્લિમો ભેગા થઈ નમાજ પઢે તો એ જમીન વકફ બોર્ડની થઈ જાય. નહેરુની એક ચાલ હતી, નહેરુની પોતાની સત્તા હતી ત્યારે 123 સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી દીધી હતી.
મળતી માહિતી અનુસાર કોંગ્રેસને આડેહાથે લેતા ફતેસિંહે આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, વકફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું કારણ કે કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે. કોંગ્રેસ ક્યારેય હિંદુઓ માટે એક શબ્દ બોલ્યા નથી. એ ગોધરા હોય જ્યાં કેટલાય લોકોને જીવતા બાળી નાખ્યા હોય, ગોધરામાં શિક્ષિકાઓને રહેંસી નાખી હોય.
આ પણ વાંચો: ‘પનામા નહેર પર અમારો કબજો…’ યુએસ સંરક્ષણ સચિવે કહ્યું – ચીનના પ્રભાવથી અમે તેને પાછી મેળવીશું
તેમજ આપણે જે ગામમાં મિટિંગ કરી રહ્યા છીએ. એ ગામના તળાવની માલિકી વકફ બોર્ડની બોલે છે. કોંગ્રેસે પોતાની સત્તા અને યુવાની વખતે યુપી,બિહાર અને ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સરકારી રૂપિયાથી લાખો મસ્જિદો બનાવી. કોંગ્રેસે એક પણ મંદિરની ઈંટ નથી મૂકી. આજે ભાજપની સરકારમાં કુંભના મેળાને જોઈને કોંગ્રેસને લાગ્યું છે કે હિંદુઓ જાગ્યા છે. ફતેસિંહ ચૌહાણે ગતરોજ સક્રિય સભ્ય સંમેલનમાં કરેલ ભાષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.