વક્ફ કાયદા વિરુદ્ધ બંગાળમાં રમખાણો, મુર્શિદાબાદમાં રસ્તાઓ પર આગચંપી; પથ્થરમારો

Ruckus in Bengal against Waqf law: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જાંગીપુર વિસ્તારમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી અને પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યારે તેઓએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ઘર્ષણ થયું હતું.
Murshidabad, West Bengal: Protests erupted demanding the withdrawal of the Waqf (Amendment) Bill. Violence broke out near Raghunathganj Police Station as Islamists clashed with police, set vehicles on fire, and blocked roads. Police resorted to lathicharge and tear gas to control… pic.twitter.com/aXJKJrNuSB
— Baba Banaras™ (@RealBababanaras) April 8, 2025
ન્યૂઝ અહેવાલ અનુસાર, પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોમાં તોડફોડ કરી, તેમને આગ ચાંપી અને પથ્થરમારો પણ કર્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો સહારો લેવો પડ્યો. આ અથડામણમાં પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.
The West Bengal Police is struggling to rein in the violent Islamist mob rampaging through the streets of Murshidabad—possibly under instructions from Home Minister Mamata Banerjee herself. Her inflammatory speeches have directly contributed to the current unrest.#Waqf #bengal pic.twitter.com/88ccOhNzSQ
— Ayan Paul (@ayanpaul001) April 8, 2025
જણાવવામાં આવી રહ્યું છે કે, લઘુમતી સમુદાયના લોકોએ વકફ એમેન્ડમેન્ટ એક્ટને પાછો ખેંચવાની માંગ સાથે જાંગીપુર પીડબ્લ્યુડી મેદાનથી વિરોધ માર્ચ કાઢી હતી. જ્યારે આ ભીડ ઉમરપુર તરફ આગળ વધી ત્યારે પોલીસે તેમને રોક્યા. પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં ભીડ ગુસ્સે ભરાઈ ગઈ અને થોડી જ વારમાં પરિસ્થિતિ હિંસક બની ગઈ.
Muslim mobs calling for defiance of the Constitution in protest against the Waqf Act in Murshidabad.
"সংবিধান মানছি না, মানবো না"
(I do not accept the Constitution, and I never will.)
Mamata Banerjee must either wake up, take control of the situation or resign. Enough is enough. pic.twitter.com/Gr6M3HduGZ— Nisith Pramanik (@NisithPramanik) April 8, 2025
હિંસા અહીં જ અટકી ન હતી. પ્રદર્શનકારીઓએ માત્ર પોલીસ પર હુમલો જ નહોતો કર્યો, પરંતુ બાનિયાપુર અને ઉમરપુર વિસ્તારોમાં અનેક ઘરો અને દુકાનોમાં તોડફોડ પણ કરી હતી. હિંસા એટલી વધી ગઈ કે પોલીસને લગભગ અડધા કલાક માટે તે વિસ્તારમાંથી પીછેહઠ કરવી પડી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને વિસ્તારમાં તણાવ ચાલુ છે.