મેરઠ હત્યા કેસ: જેલમાં બંધ મુસ્કાન પ્રેગ્નન્ટ હોવાનું બહાર આવ્યું, રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Meerut Saurabh Murder Case: પતિ સૌરભ રાજપૂતની હત્યાના આરોપમાં મેરઠ જેલમાં બંધ મુસ્કાન રસ્તોગીનો પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. CMOએ પોતે પુષ્ટિ આપી છે કે મુસ્કાન પ્રેગ્નન્ટ છે. જિલ્લા હોસ્પિટલની એક ટીમ તપાસ માટે જેલમાં પહોંચી હતી. કારણ કે, જેલ પ્રશાસને CMOને પ્રેગ્નન્સી ટેસ્ટ માટે પત્ર લખ્યો હતો. મેરઠ જેલ પ્રશાસને આ સંબંધમાં મેરઠના ચીફ મેડિકલ ઓફિસર (CMO)ને એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં ગાયનેકોલોજિસ્ટને જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી જેથી મુસ્કાન અને અન્ય એક મહિલાની તપાસ કરી શકાય અને જરૂરિયાત મુજબ તેમનો પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કરી શકાય. આવી સ્થિતિમાં આજે જિલ્લા હોસ્પિટલની મહિલા ડોક્ટર મેરઠની ચૌધરી ચરણ સિંહ જેલમાં પહોંચી હતી.
જેલ પ્રશાસનનું કહેવું છે કે હાલમાં મુસ્કાનની તબિયત સારી છે અને તેને કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. હાલમાં જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે જેલમાં મુસ્કાનની તબિયત બગડી હતી, પરંતુ મેરઠ જેલના સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટ વીરેશ રાજ શર્માએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે મુસ્કાન માત્ર સ્વસ્થ નથી, પરંતુ નશાના લક્ષણો પણ હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયા છે.
સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા પ્રમાણે – જ્યારે કોઈ મહિલાને જેલમાં રાખવામાં આવે છે ત્યારે તેના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને જો કોઈ મહિલા પહેલાથી જ ગર્ભવતી હોય અથવા આવી કોઈ શક્યતા હોય તો જેલ પ્રશાસન સમય સમય પર તેના પર નજર રાખે છે. આ એક નિયમિત પ્રક્રિયા છે.