રામનવમીના દિવસે સાલાર મસૂદ ગાઝીની દરગાહ પર લહેરાવાયો ભગવો, હિન્દુ સંગઠનના સભ્યોએ કર્યો હંગામો

Ghazi Saiyyad Salar Masud: રામનવમીના અવસર પર પ્રયાગરાજમાં હિન્દુ સંગઠનોના સભ્યોએ સાલાર મસૂદ ગાઝીની દરગાહ પર ચઢીને હોબાળો મચાવ્યો હતો. હિન્દુ સંગઠનના કાર્યકરો ભગવા ધ્વજ સાથે દરગાહની છત પર ચઢી ગયા હતા અને દરગાહના ગુંબજ પાસે હવામાં ભગવો ધ્વજ લહેરાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ હોબાળો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર માનેન્દ્ર પ્રતાપ સિંહના નેતૃત્વમાં થયો હતો.

શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર સિકંદર વિસ્તારમાં આવેલી સાલાર મસૂદ ગાઝીની દરગાહમાં ભગવા પહેરેલા ડઝનબંધ લોકો સાંજે લગભગ 4 વાગ્યે પહોંચ્યા હતા. અહીં, તેઓ દિવાલોનો ઉપયોગ કરીને દરગાહની છત પર ચઢી ગયા અને ગુંબજ પાસે હવામાં ભગવો ધ્વજ લહેરાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમય દરમિયાન, અફડાતફડી મચી ગઈ અને ત્રણ યુવાનો ભગવા ધ્વજ લઈને ગુંબજ પર પહોંચ્યા, જ્યારે નીચે એકઠા થયેલા ડઝનબંધ લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

પોલીસ આવે તે પહેલાં જ કાર્યકારો પાછા જતાં રહ્યાં
હંગામો મચાવનારા યુવાનો બાઇક પર સાલાર મસૂદ ગાઝીની દરગાહ પર પહોંચ્યા હતા. દરગાહ પર ભગવો ધ્વજ ફરકાવ્યા પછી, પોલીસ આવે તે પહેલાં કાર્યકરો પાછા જતાં રહ્યાં હતા. આ સમય દરમિયાન, દરગાહ પરિસરમાં અરાજકતાનો માહોલ છવાઈ ગયો અને લોકો ગભરાટમાં અહીં-ત્યાં દોડવા લાગ્યા. હંગામો મચાવનારા યુવાનોનું નેતૃત્વ કરનાર માનેન્દ્ર પ્રતાપ સિંહ પોતાને RSS અને BJPનો કાર્યકર કહે છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં શરૂ કરી
આ સાથે તેમણે પોતાની પ્રોફાઇલમાં પોતાને અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે પણ લખ્યું છે. તે કરણી સેનાના રાજ્ય પ્રમુખ પણ રહી ચૂક્યો છે. તે કહે છે કે સાલાર મસૂદ ગાઝી એક આક્રમણખોર હતો. આવા કિસ્સામાં પવિત્ર સ્થળ પ્રયાગરાજમાં તેમની કોઈ દરગાહ ન હોવી જોઈએ અને દરગાહને તાત્કાલિક તોડી પાડવી જોઈએ. તે સ્થળ પૂજા માટે હિન્દુઓને સોંપી દેવું જોઈએ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલાની તપાસ કરી રહી છે.