નિરજ ચોપરા 374 દિવસ પછી ભારતમાં રમશે, તારીખ નોંધી લો

Neeraj Chopra: ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નિરજ ચોપરા તમને રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટ તેમના નામે યોજાઈ રહી છે, જેને ‘નિરજ ચોપરા ક્લાસિક’ નામ આપવામાં આવ્યું છે. આ વર્લ્ડ એથ્લેટિક્સ (WA) કેટેગરી A ઇવેન્ટ છે, જે રેન્કિંગ પોઈન્ટની દ્રષ્ટિએ કોન્ટિનેન્ટલ ટૂર ગોલ્ડ-લેવલ સ્પર્ધાની સમકક્ષ છે. નિરજ ચોપરા પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતા જોવા મળશે.

આ પણ વાંચો: લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત, જાણો પાસ થયેલા તમામ 16 બિલ

નિરજ ચોપરા 374 દિવસ પછી ભારતમાં રમશે
નિરજ ચોપરાએ છેલ્લે મે 2024માં ભુવનેશ્વરમાં ફેડરેશન કપમાં ભાગ લીધો હતો. ત્યારે તે ભારતમાં રમ્યો હતો, હવે 374 દિવસ પછી ભારતમાં રમશે. થ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) ના પ્રમુખ બહાદુર સિંહ સાગુએ આ વિશે જાણકારી આપી હતી કે આ નિરજ ચોપરાને તમે 24 મેના રોજ પંચકુલામાં રમતા જોઈ શકશો. જેમાં નિરજની સાથે સાથે અન્ય વિશ્વના ટોચના ભાલા ફેંકનારાઓ ભાગ લેશે.