શું તમે સ્ક્રિપ્ટ રાઇટર છો કે પત્રકાર? સૂર્યકુમાર યાદવે પત્રકારને આપ્યો ઠપકો

Suryakumar Yadav Leave Mumbai: ડોમેસ્ટિક ક્રિકેટમાં હાલ ખળભળાટ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યશસ્વી જયસ્વાલ આગામી સમયમાં ગોવા તરફથી રમશે. આ વચ્ચે સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ છોડીને ગોવા ક્રિકેટ ટીમમાં જોડાઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જોકે ભારતના T20 કેપ્ટને આ બધી અફવાઓ ગણાવી હતી. તેણે મજાકમાં એક પત્રકારને ઠપકો પણ આપ્યો હતો.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવ ગોવા તરફથી રમશે કે નહીં? MCAનું નિવેદન સામે આવ્યું

સૂર્યાએ પત્રકારને ઠપકો આપ્યો
આ સંદર્ભમાં કોઈ પત્રકારે લખ્યું હતું. જેના જવાબમાં સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પત્રકારને ઠપકો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “તમે પત્રકાર છો કે સ્ક્રિપ્ટ રાઇટર? જો મને હસવું હોય, તો હું કોમેડી ફિલ્મો જોવાનું બંધ કરીશ અને આ લેખો વાંચવાનું શરૂ કરીશ. બિલકુલ બકવાસ.”