આંકલાવ APMCની ચૂંટણી એકતરફી, કોંગ્રેસની પેનલના 10 ઉમેદવારો બિનહરીફ

આણંદ: ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજવની હતી. APMCની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ગત 27 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ હતી. 28મીના રોજ ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજૂર થયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોંગ્રેસ પ્રેરિત પેનલના 2 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા 10 ઉમેદવારો બિનહરીફ થયા હતા.

નવાઈની વાત તો એ છે કે APMCની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યો નહીં. આ સાથે કોંગ્રેસે આંકલાવ APMCમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.