પાલીતાણા હસ્તગીરી ડુંગર પર મોડી રાતે ભીષણ આગ, ડુંગરની આસપાસના વિસ્તારમાં વન્યપ્રાણીઓ કરે છે વસવાટ

Palitana: ભાવનગરના પાલીતાણા હસ્તગીરી ડુંગર પર મોડી રાતે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ વન અને શેડ્યુલ બે સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. હાલ આગ કાબૂમાં લેવાઈ છે.
મળતી માહિતી અનુસાર પાલીતાણા હસ્તગીરી ડુંગર પર મોડી રાતે આગ લાગી હતી. આગ જંગલમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં ફેલાઈ ગઈ હતી. જોકે, આગ ગામ તરફ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ નજીક સ્ટેન્ડ બાય રખાઈ હતી. નોંધનીય છે કે, તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે. જોકે હજી સુધી તો વન્યપ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. જોકે, બે ફાયર ફાઈટર તેમજ તળાજાના બે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો છે.
આ પણ વાંચો: ઔરંગઝેબે લોકો પર અત્યાચાર ગુજાર્યો, છતાં કેટલાક લોકો તેને આદર્શ માને છે: રાજનાથ સિંહ