સાબરકાંઠામાં UGVCLની વધુ એક બેદરકારી, ત્રણ વીઘા પાક બળીને સ્વાહા!

સાબરકાંઠા: જિલ્લામાં આગની ઘટનાઓ યથાવત્ છે. UGVCL વિભાગની બેદરકારીને પગલે વધુ એક આગની ઘટના બની છે. ખેડબ્રહ્માના પાલિકા વિસ્તારમાં ખેડૂતોનો ઘઉંનો પાક બળીને સ્વાહા થઈ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, પટેલ રાજુભાઇ જેઠાભાઈના ખેતરમાં આગ લાગી હતી. ઘઉંના ઢગલામાં આગ લાગતાં ખેડૂતને મોટા પ્રમાણમાં મોટું નુકસાન થયું છે. તેમણે ત્રણ વીઘા જમીનમાં ઘઉંની ખેતી કરી હતી. ત્રણ વીઘાનો પાક આગમાં ભસ્મ થતા ખેડૂતમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.
આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. સતત ત્રણ દિવસથી જિલ્લાનાં અલગ અલગ સ્થળો પર આગને લઈને ઘઉંનો પાક સ્વાહા થઈ ગયો છે. ખેડુતોમાં UGVCL વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.