RCB સામે 50 રનથી હાર્યા છતાં CSKનો કેપ્ટન ખુશખુશાલ! ઋતુરાજ ગાયકવાડના નિવેદનથી ફેન્સ નારાજ

IPL 2025: આઈપીએલની 18મી સિઝનમાં RCB અને CSK વચ્ચે આમનો સામનો થયો હતો. જેમાં RCBએ CSKને 50 રનથી હરાવીને સતત બીજી જીત નોંધાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરીને RCBએ 20 ઓવરમાં 7 વિકેટે 196 રન બનાવ્યા હતા. મહત્વની વાત તો એ હતી કે CSK 20 ઓવરમાં ફક્ત 146 રન જ બનાવી શક્યું હતું. ખાસ વાત તો એ હતી કે CSK ને પોતાના ઘરઆંગણે જ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ વિશે હવે CSKના કપ્તાન ઋતુરાજ ગાયકવાડે મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: આજે GT vs MIનો અમદાવાદમાં મુકાબલો, જાણો લો હેડ ટુ હેડ રેકોર્ડ

હાર બાદ ઋતુરાજ ગાયકવાડે કહી આ વાત
હાર બાદ CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું, ‘મને હજુ પણ લાગે છે કે બેટિંગ કરવી સરળ નહોતી પણ અમારી નબળી ફિલ્ડિંગે અમારે મેચ ગુમાવવી પડી. જ્યારે તમે 170 રનનો પીછો કરી રહ્યા હોવ ત્યારે તમને થોડો સમય મળે છે, પરંતુ જો લક્ષ્ય 20 રન વધુ થઈ જાય, તો તમારે પાવરપ્લેમાં અલગ રીતે રમવું પડશે. આજે આપણે તે કરી શક્યા નહીં. પિચ ધીમી અને ચીકણી બની ગઈ હતી, જેના કારણે નવો બોલ બેટ પર યોગ્ય રીતે આવી રહ્યો ન હતો. તેમણે કહ્યું, ‘હવે આપણે ગુવાહાટી સુધી લાંબી મુસાફરી કરવી પડશે, તેની સાથે સાથે આપણે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.’ આપણે જોવું પડશે કે કઈ બાબતોમાં સુધારો થઈ શકે છે. ફિલ્ડિંગમાં અમારે મજબૂત વાપસી કરવી પડશે.