GSRTCએ બસનાં ભાડામાં 10 ટકાનો વધારો કર્યો, આજે મધરાતથી અમલમાં આવશે

અમદાવાદઃ ST બસનાં મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. GSRTCએ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે, જે આજે મધ્યરાત્રિ એટલે કે 29મી માર્ચ 2025થી જ અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, 68 ટકાના ભાવવધારાની માગ સામે માત્ર 10 ટકાનો જ વધારો આપવામાં આવ્યો છે.

ગુજરાત એસટીમાં દરરોજ 27 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે. તેમની સેવામાં અંદાજે 8 હજાર જેટલી એસટી બસ કાર્યરત છે. ત્યારે મુસાફરી કરતા તમામ લોકોને આ ભાવવધારાની અસર જોવા મળશે.