મહાત્મા ગાંધી 20મી નહીં, 21મી સદી અને આવનારી સદીના મહાન નેતાઃ નરેન્દ્ર મોદી

Narendra Modi Exclusive Podcast: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતનો પોડકાસ્ટ આજે રવિવારે રિલિઝ કરવામાં આવ્યો છે. આ વાતચીતમાં પીએમ મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. આ પોડકાસ્ટમાં તેમણે મહાત્મા ગાંધીનું જન આંદોલનનું વિઝન તેમના દરેક પહેલને કેવી રીતે પ્રેરણા આપે છે તે વિશે પણ વાત કરી છે. આવો જાણીએ તેમણે શું કહ્યું…

આ પણ વાંચોઃ દુનિયા ગમે તે કરી લે, પણ AI ભારત વિના અધૂરુંઃ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ જન શક્તિની શક્તિને ઓળખીને ભારતના સ્વતંત્રતા સંગ્રામને જન આંદોલનમાં પરિવર્તિત કરવાની મહાત્મા ગાંધીની ક્ષમતા પર વાત કરી હતી.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીએ 2002ના ગોધરાકાંડ વિશે ખુલાસો કર્યો, જાણો તેમણે શું કહ્યું..

તેમણે જણાવ્યું કે, તેમના અભિગમમાં, તેઓ હંમેશા દરેક પહેલમાં શક્ય તેટલા લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરે છે. તેને જન ભાગીદારી સાથે જન આંદોલનમાં ફેરવે છે. પીએમ મોદીએ ભાર મૂકતા જણાવ્યુ કે, સમાજની સામૂહિક શક્તિ અમર્યાદિત છે. પીએમ મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધી માત્ર 20મી સદીના જ નહીં પરંતુ 21મી સદી અને આવનારી સદીઓના પણ મહાન નેતા છે.