હોળી-ધુળેટીને લઈ વાપી રેલવે સ્ટેશન પર ભારે ભીડ, મુસાફરોએ રેલવે તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ

Vapi: હોળી-ધુળેટી માટે માદરે વતન જવાને લઈ રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે વાપી રેલવે સ્ટેશન પર બાંદ્રા-પટના ટ્રેનમાં યાત્રીઓની ધક્કામુક્કી જોવા મળી હતી. યાત્રીઓએ ઇમરજન્સી વિન્ડોમાંથી ટ્રેનમાં ઘૂસવાની ફરજ પડી છે. વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે અવ્યવસ્થા સર્જાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સ્ટેશનો પર ભારે અવ્યવસ્થા હોવાની સાથે કોઈ સચોટ આયોજન કરવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ભારતીય સમુદાયના લોકો હોળી-ધુળેટીના તહેવારને લઈને માદરે વતન જવા આતુર હોય છે. ત્યારે આ વર્ષે પણ બાંદ્રા-પટના ટ્રેનમાં પ્રવાસીઓની બેશુમાર ભીડ જોવા મળી છે. વાપી રેલવે સ્ટેશન પર ભીડને કારણે મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે અવ્યવસ્થા સર્જાઈ છે. તો મુસાફરીના બુકિંગ પહેલા જ પૂર્ણ થઈ જતાં અનેક યાત્રીઓએ જનરલ કોચમાં વતન જવા મુસાફરી માટે પ્રયત્ન કર્યો છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત, સાંસદો-ધારાસભ્યો સહિતના લોકો પહોંચ્યા એરપોર્ટ
જોકે, અગાઉ બુકિંગ કરાઈ હોવા છતાં સીટ ન મળી હોવાની પણ વાત સામે આવી છે. કોઈ સુચન કે સહાય ન મળતાં પરિસ્થિતિ વધુ કઠિન બની છે. જેને કારણે મુસાફરોએ રેલવે તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ યુપી,બિહાર જતી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ ઉમેરવા માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, વાપી, દમણ, દાદરા-નગર હવેલી અને ઉમરગામમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો લોકો રહે છે જે દરવર્ષે પોતાના વતન જતા હોય છે.