સુરત શિવશક્તિ માર્કેટમાં આગના સર્વેને લઈ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો

Surat: સુરત શિવશક્તિ માર્કેટમાં આગને લઈને સંયુક્ત સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરની અનેક માર્કેટોમાં ગેરકાયદેસર માળીયાઓ, ખૂંટી ભરાયેલી દુકાનો હોવાનું સામે આવ્યું છે. માર્કેટોમાં સુરક્ષા સાધનોનો અભાવ અને એન્ટ્રી-એક્ઝિટ માર્ગોના દબાણો જેવા ગંભીર ખામીઓ પણ પકડાઈ છે.
મળતી માહિતી અનુસાર શિવશક્તિ માર્કેટમાં આગને લઈને ફાયર વિભાગ, શહેર વિકાસ વિભાગ અને ઝોનલ ટીમે સર્વે હાથ ધર્યો હતો. જેમા ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાથમિક રિપોર્ટ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને આપવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવામાં મળ્યું છે કે, શહેરની અનેક માર્કેટોમાં ગેરકાયદેસર માળીયાઓ, ખૂંટી ભરાયેલી દુકાનો હોવાનું સામે આવ્યું છે. અનેક માર્કેટોમાં જરૂરી વેન્ટિલેશન ન હોવાનું પણ સામે આવ્યું છે. તો કેટલીક માર્કેટમાં પાર્કિંગની જગ્યા ગેરકાયદે દુકાનો અને ગોડાઉન બનાવાયા છે. બજાર વિસ્તારમાં ટેમ્પાઓ અને ફૂટપાથ પર ઉભેલા ખાણી-પીણીની લારીઓને કારણે એન્ટ્રી અને એક્ટિઝ રસ્તાઓ સાંકડા બની ગયા. અનેક માર્કેટોમાં NOC રિન્યૂ થવા છતાં અગ્નિ સલામતી માટેના સાધનો બિનકાર્યક્ષમ થઈ ગયા છે.
આ પણ વાંચો: Champions Trophy 2025: પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ જીતવાની રેસમાં 4 ભારતીય, ICCએ કરી મોટી જાહેરાત