સંતરામપુરમાં કન્યા શાળાના શિક્ષકે ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન, પોલીસે તપાસ હાથ ધરી

Mahisagar: મહીસાગરના સંતરામપુરમાં શિક્ષકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કન્યા શાળાના શિક્ષકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. જોકે, હાલ કયા કારણોસર શિક્ષકે આત્મહત્યા કરી છે તે જાણવા મળ્યું નથી. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતીમ માહિતી અનુસાર સંતરામપુર કન્યા શાળામાં શિક્ષક તરીકે બજાવી રહેલા શિક્ષકે અગમ્ય કારણોસર દવા પી જીવન ટૂંકાવ્યું છે. શિક્ષકે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આ ઘટનાને લઈને સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: હું વડાપ્રધાનને મળવા માંગુ છું… કોલકાતા દુષ્કર્મ પીડિતાની માતાએ કહ્યું- હજુ ડેથ સર્ટિફિકેટ પણ નથી મળ્યું