કથાકાર મોરારીબાપુનું મોટું નિવેદન, ‘જલારામબાપાને નીચે દેખડવાના પ્રયાસો થયાં’

મોરારીબાપુ: કથાકાર મોરારીબાપુએ સનાતન ધર્મ પર થતા પ્રહારને લઈને મોટું નિવેદન આપ્યું છે. સનાતન ધર્મ પર પ્રહારો ઓછા થઈ રહ્યા નથી. આપણા દેવી દેવતા માતાઓ પર પ્રહારો થઈ રહ્યા છે. સાધુ-સંતો, આપણા ગ્રંથો પર પણ પ્રહારો થાય છે. ગણતરીપૂર્વક આક્રમણ થઈ રહ્યું છે. વ્યાસ ગાદી લઇને ફરુ છું એટલે સવિનય જાગૃત કરવા માટે કહું છું. બાકી મારે કોઈ લેવા દેવા નથી.

સાધુ ચરિત જલારામબાપા પરિવાર સાથે મારે ચાર પેઠીનો સબંધ છે. જલારામબાપાને પણ નીચે દેખડવાના પ્રયાસો થયાં. કલ્પના તો કરો અમુક લોકોને શું કરવું છે. વેશના સાધુ થવા કરતા મુક્તિના સાધુ થવા ઉત્તમ છે. સૌ જે કોઈને માનતા હોય તેને ચિત્રે એમાં કોઈ વાંધો ન હોય. સદનું વ્રત લીધું હોય તેને સદાવ્રતનો ખ્યાલ આવશે.

વિરપુરો પરિવારનો હું સાક્ષી છું, રામ પરિવાર છે. જલારામબાપા એ ભોજલરામ બાપા પાસે આશીર્વાદ માગ્યા હતા. આશીર્વાદ ગુરુ જ આપે અને એના જ લેવાય. ભોજલરામ બાપાના આશીર્વાદથી જલારામબાપાએ અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. જલારામબાપાએ ઠાકોરજીની થાળીમાં વીરબાઈ માને પણ આપી દીધા હતા. આવું કોણ કરી શકે તમે કલ્પના તો કરો. વીરપુર જલારામબાપાના મંદિરમાં એક પણ રૂપિયાનું દાન લેવાતું નથી. એકાદ જગ્યા તો બતાવો જ્યાં રૂપિયા ન લેવાતા હોય. જલારામબાપાના પરિવારે આપેલા નિવેદનમાં પણ સચ્ચાઈ છે, કયાંય કટુરતા નથી.