પશ્ચિમ બંગાળ: બાગડોગરામાં ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ થયું, ક્રૂ મેમ્બર્સ માંડ માંડ બચ્યા

Indian Air Force: ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પશ્ચિમ બંગાળના બાગડોગરામાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. એરફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિમાનને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કરી રહી છે. આજે હરિયાણામાં એરફોર્સનું જગુઆર ફાઈટર જેટ પણ ક્રેશ થયું હતું. એક જ દિવસમાં એરફોર્સના વિમાન અકસ્માતની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો: હરિયાણાના પંચકુલામાં મોટી વિમાન દુર્ઘટના, ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન જગુઆર ક્રેશ
આ પહેલા આજે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં, પાયલોટ સમયસર પેરાશૂટની મદદથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાઇલટે સમજદારી બતાવી અને વસ્તીવાળા વિસ્તારથી દૂર વિમાનને ક્રેશ કર્યું, જેના કારણે જમીન પર કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી.