મરાઠી ભાષા પર RSS નેતા ભૈયાજી જોશીએ કહ્યું-‘મારું નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું’

Bhaiyaji Joshi Clarification: RSS નેતા ભૈયાજી જોશી દ્વારા મરાઠી ભાષા પર આપેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થયો. દરમિયાન ભૈય્યાજી જોશીએ કહ્યું કે ગઈકાલે મુંબઈના ઘાટકોપરમાં તેમના નિવેદનને લઈને ગેરસમજ થઈ હતી. મરાઠી મહારાષ્ટ્રની ભાષા નથી તેવો પ્રશ્ન જ ઊભો થતો નથી. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. દરેક રાજ્યની પોતાની ઓળખ હોય છે.

મને મરાઠી ભાષા પ્રત્યે સન્માન છે: જોશી
તેમણે વધુમાં કહ્યું, “ભારત વિવિધ ભાષાઓ પર ચાલે છે પરંતુ જે લોકો મહારાષ્ટ્રમાં આવે છે તેઓ મરાઠી ભાષા શીખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હું પોતે મરાઠી ભાષી છું. મરાઠી મારી પણ ભાષા છે. મને મરાઠી ભાષા માટે માન છે. મરાઠી ભાષા ગર્વ અને સન્માનની ભાષા છે.

શું છે સમગ્ર મામલો?
બુધવારે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ભૈયાજી જોશીએ કહ્યું હતું, “દરેક વ્યક્તિએ મરાઠી શીખવું જ જોઈએ તે જરૂરી નથી.” આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો શરૂ થઈ ગયો.