જલારામ બાપાનું નહીં પરંતુ 18 વર્ણનું અપમાન કરવામાં આવ્યું: પરસોતમ પીપળીયા

Rajkot: જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે પાટીદાર અગ્રણી ડો.પરસોતમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંતો દ્વારા ન માત્ર જલારામ બાપાનું પરંતુ 18 વર્ણનું અપમાન કરવામાં આવ્યું છે. અગાઉ પાટીદાર સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું હતું.
પાટીદાર અગ્રણી ડો.પરસોતમ પીપળીયાએ વધુમાં કહ્યું કે, અગાઉ એક સ્વામીએ કહ્યું હતું કે, આપણા સ્વામીના ફોટાની બાજુમાં ખોડીયાર માતાજીના ફોટા રાખવા ન જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી માત્ર એક પંથ છે. સનાતન ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પંથમાંથી હાંકી કાઢવાની જગ્યાએ સંપ્રદાય દ્વારા તેમનો બચાવ કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મૂળ પુસ્તકો ન હોવાના કારણે ખોટા ચોપડા ચિત્રીને સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે લખાણો લખવામાં આવે છે. સનાતન ધર્મના દેવી-દેવતાઓને વામણા બતાવવામાં આવે છે.
આ પણ વાંચો: નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં મહાદેવને સ્વામીના સેવક તરીકે દર્શાવાના મામલે બ્રાહ્મણ સમાજમાં રોષ