સરકારની દલાલી કરવી અયોગ્ય છે… પૂર્વ MLA ધીરુ ગજેરાએ કીર્તિદાન ગઢવી પર સાધ્યું નિશાન

Surat: કીર્તિદાન ગઢવીએ PGVCLને લઈ આપેલ નિવેદન મામલે હવે પૂર્વ MLA ધીરુ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ લોક કલાકાર ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાથાઇ કરવી એ અયોગ્ય છે.

મળતી માહિતી અનુસાર કીર્તિદાન ગઢવીએ PGVCLને લઈ નિવેદન આપ્યું હતું તેમણે સ્માર્ટ મીટરને સારું ગણાવ્યું હતું. જેનો પૂર્વ MLA ધીરુ ગજેરાએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે. પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની ભાથાઇ કરવી એ અયોગ્ય છે. તમારે પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ. સરકારની દલાલી કરવી એ અયોગ્ય છે.

આ પણ વાંચો: હોળાષ્ટક બાદ પ્રદેશ ભાજપને મળશે નવા અધ્યક્ષ, ભાજપના જુદા-જુદા જિલ્લા પ્રમુખોની કરાશે નિમણૂક